સુવિચારો
Ø “જે વ્યક્તિ વાંચતી નથી. તે આ દુનિયાની સૌથી કમનસીબ વ્યક્તિ છે. તે અનંત
વિચારોના મધુર સ્પર્શથી વંચિત રહી જાય છે.”
Ø “જે ઘરમાં પાંચ પુસ્તકો નહોય તે ઘરમાં દીકરીને ન પરણાવવી”
Ø “ભણેલાઓ બીજાઓના દોષો જુએ છે. જયારે કેળવાયેલા પોતાના દોષો જુએ છે.” – ઓસ્કર વાઇલ્ડ
Ø “જે અક્ષરજ્ઞાન જીવન જીવવાની કેળવણી ન આપે તે જ્ઞાન નથી પરંતુ શિક્ષિત મૂર્ખતા છે.”
Ø “વિવેક વિનાની વિદ્યા એ શ્રમ છે.”
Ø “જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે
પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.” - થીઓડોર પાર્કર
Ø “પ્રેમ અને શંકા એકબીજાની ભાષા સમજતા નથી.” –જિબ્રાન
Ø “જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે કે અનાથ ના મુખમાં રોટલીનો
ટુકડો મૂકી ન શકે એવા ધર્મમાં મને શ્રદ્ધા નથી.” - સ્વામી વિવેકાનંદ
Ø “તમે જે નથી જાણતા એટલું કબુલ કરો એ જ્ઞાન કહેવાય.” – કોન્ફયુશિયસ
Ø “અસત્યની સૌથી મોટી નબળાઈ એ છે કે તેને આજની વાત કાલે યાદ
રહેતી નથી” – રસેલ
Ø “અભણ કરતા પુસ્તક વાંચનારા શ્રેષ્ઠ છે. ગ્રંથોને ધારણ કરનારા
વધુ શ્રેષ્ઠ છે, તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરનારા વધુ પ્રશસ્ય છે, અને તે જ્ઞાન
વ્યવહારમાં મુકનારા શ્રેષ્ઠતમ છે.” –મનુસ્મૃતિ
Ø “માનવ માત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી
શરત છે.” – ટોલસ્ટોય
Ø “તમે તમારા સંગ્રહમાંથી આપોછો ત્યારે બહુ ઓછું આપો છો પરંતુ
જયારે તમારા જીવનમાંથી તમે આપો છો ત્યારે જ ખરા અર્થમાં કઈંક આપો છો.” –જિબ્રાન
Ø “સ્વમાન,આત્મજ્ઞાન, અને આત્મવિગ્રહ આ ત્રણ સદગુણોથી માણસનું
જીવન સર્વોપરી સત્તા મેળવી શકે છે.” – ટેનિસન
Ø “સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન
કરો.” – રામકૃષ્ણ પરમહંસ
Ø “દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ
હોય છે.” – શર્લી વિલિયમ્સ
Ø “કુદરતી દુઃખ એ પરીક્ષા છે, ઉભું કરેલું દુઃખ એક શિક્ષા છે.” – શ્રી અરવિંદ
Ø “હું સંકટોથી બચવા નહિ પરંતુ સંકટોનો બહાદુરી પૂર્વક સામનો
કરી શકુ તે માટે પ્રાર્થના કરું છું.” – રવીન્દ્રનાથ ટાગોર
Ø “મહાન સંકલ્પ જ મહાન કાર્યોના જનક હોય છે.” – શેક્સપીઅર